Saturday, March 26, 2011

કોઈ હૈયા માં ગયું લાગે છે.

આ બધું કેમ નવું લાગે છે ?

કોઈ હૈયા માં ગયું લાગે છે.

પ્યાસ એમજ નથી બુઝી મિત્રો,
...
લોહીનું પાણી થયું લાગે છે.

ખોળીયામાં આ નવી હલચલ છે,

જીવને ઘેર જવું લાગે છે.

-ગૌરાંગ ઠાકર

Wednesday, March 23, 2011

બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી

પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી

ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી

મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો

બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી

वो मुस्कुरा भी न पाया अमीर होते हुए

मैं खुल के हँस तो रहा हूँ फ़क़ीर होते हुए

वो मुस्कुरा भी न पाया अमीर होते हुए


अजीब खेल है दुनिया तेरी सियासत का

मैं पैदलों से पिटा हूँ वज़ीर होते हुए


नये तरीक़े से मैंने ये ये जंग जीती है

कमान फेंक दी तरकश में तीर होते हुए


जिसे भी चाहिए मुझसे दुआएँ ले जाए

लुटा रहा हूँ मैं दौलत फ़क़ीर होते हुए


तमाम चाहने वालों को भूल जाते हैं

बहुत-से लोग तरक़्क़ी -पज़ीर[1]होते हुए.

-मुनव्वर राना



અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો

તરવું કદી ન ફાવ્યું મને, તળ સુધી ગયો

અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો


હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો

પ્રત્યેક બંધ દ્વારની સાંકળ સુધી ગયો

મંદિર કે મસ્જિદો સુધી અટકી ગયા સહુ

જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો

 
ભાલાનો તીરકામઠાંનો વારસો હતો

માણસ છતાં ય એક દિવસ હળ સુધી ગયો

મારી તરસના સાચા સ્વરૂપને પિછાણવા

હરિયાળી ભોમ છોડી મરૂસ્થળ સુધી ગયો

આખા જીવનમાં દુ:ખની મળી એક પળ રઈશ

એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો
 
-રઈશ મનીઆર

Sunday, March 20, 2011

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
...સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.
-અનિલ ચાવડા

Friday, March 11, 2011

હલબલી જાય આદમી તે ગઝલ

ચોતરફ મૌન મૌનની વચ્ચે,
એક તલસાટ કાયમી તે ગઝલ.

તેજ રૂપે કદી તિમિર રૂપે,
મેધલી મીટથી ઝમી તે ગઝલ.
...
નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.

દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ.

જિન્દગાની કે જાંફિશાનીની,
હોય જે વાટ જોખમી તે ગઝલ.

એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી એ ગઝલ.

માલમીને ય એ તો પાર કરે,
માલમીની ય માલમી તે ગઝલ.

લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.

- ઘાયલ

જીવનની ઠેસની હજુ કળ વળી નથી....

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
...
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

- જલન માતરી