Thursday, April 14, 2011

કદી તો તું અમી નજર મારા તરફ કરીશ.

તું મને પ્રેમ કરે કે ના કરે હું તો તને કરીશ,

તું મારી પર મરે કે ના મરે હું તો મરીશ.



ડર, સંકોચ કે ગભરાટ છે તારી માન્યતા,

હું તો ખુલ્લેઆમ પ્રેમનો એકરાર કરીશ.
 
-દિયું ત્રિવેદી


દિલને આમ દુભાવવાથી કઈ નહી મળે,

હું તને મનાવવાની સતત કોશિશ કરીશ.



હું ક્યાં કઈ માગું છુ તારી પાસેથી કદી ,

કદી તો તું અમી નજર મારા તરફ કરીશ.



જીવનભર સાથ નિભાવવાનું નથી કહેતો,

પણ મારું જીવન તો તને ન્યોછાવર કરીશ.



દયા દાનથી તારો પ્રેમ નથી જોઈતો મારે,

મારા પ્રેમમાં દમ હશે તો તું પણ મનેપ્રેમ કરીશ.......

No comments: