Monday, April 2, 2018


નદીનો ભાસ...

છે નદીનો ભાસ, કૈં ખળખળ નથી,
સૂર્યને કર બાદ, તો ઝળહળ નથી.
મન મળે જો, તો પછી પ્રશ્નજ નથી,
મન વગર બે જણ મળે, પોકળ નથી ?
કેટલાં વરસો પછી સમજણ મળી,
હું અને તું, કૈં પછી આગળ નથી.
પારકા પડતા ઉપર પાટું કરે..
ઘાવ, કો' અંગત કરે, એ છળ નથી ?
મન કહે છે, જ્યોત આ ઝાંખી થઈ,
શગ સંકોરો, આપણાં અંજળ નથી.
--વૈશાલી પટેલ ‘તન્હા’