નદીનો ભાસ...
છે નદીનો ભાસ, કૈં ખળખળ નથી,
સૂર્યને કર બાદ, તો ઝળહળ નથી.
મન મળે જો, તો પછી પ્રશ્નજ નથી,
મન વગર બે જણ મળે, પોકળ નથી ?
કેટલાં વરસો પછી સમજણ
મળી,
હું અને તું, કૈં પછી આગળ નથી.
પારકા પડતા ઉપર પાટું
કરે..
ઘાવ, કો' અંગત કરે, એ છળ નથી ?
મન કહે છે, જ્યોત આ ઝાંખી થઈ,
શગ સંકોરો, આપણાં અંજળ નથી.
--વૈશાલી પટેલ ‘તન્હા’